tgindex
સંસ્કાર નું સિંચન કરે તે એટલે સંસ્કૃતિ

સંસ્કાર નું સિંચન કરે તે એટલે સંસ્કૃતિ

Статистика

આ ચેનલ માં આપણે બાળકો માટે બોધદાયક એક વાર્તા દરરોજ ની મુકીશું. ચાલો આજથી બાળકમાં વાર્તા દ્વારા સંસ્કાર નું સિંચન કરીએ. બાળકો ઈશ્વર ની વાળી ના ફૂલ છે. ચાલો એ ફૂલ માં સુગંધ ભરીએ......

Последний пост
25 сент. 2025 г.
Последнее чтение
13 авг.
Постов за неделю
0
Всего постов
20
Тип
открытый
Язык
gu
В каталоге с
13 авг.
Подписчики
569
0 за 1 дн.
Сутки
0
0,00%
Неделя
 
Месяц
 
Просмотров на пост
960
20 постов
Вовлечённость
168,7%
к подписчикам
Постов в день
0,0
всего 20
Упоминаний
0
каналов
Охват размещения
оценка
1/24сутки в ленте
1/48двое суток
1/72трое суток

Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.

Посты

  • બાળવાર્તા સચ્ચા મિત્રની ઓળખ એક ગામમાં રિમઝિમ નામની નાની ચકલી રહેતી હતી. તે હંમેશા ખુશખુશાલ ગીતો ગાતી. ગામમાં જ ચિંકુ નામનો નાનો કાંટાળિયો (સૂવરડો) રહેતો. બંને જલ્દી જ સારા મિત્ર બની ગયા. એક દિવસ જંગલમાં ભારે વરસાદ પડ્યો. રિમઝિમ પાંદડાની આડમાં છુપાઈ ગઈ, પરંતુ તીવ્ર પવનથી તેનું નાનું ગૂંથણ તૂટી પડ્યું. રિમઝિમ રડવા લાગી – “હવે હું ક્યાં રહીશ?” ચિંકુએ તરત જ કહ્યું – “મિત્ર, ચિંતા ના કર. મારું ઘર નાનું છે, પણ તું મારી સાથે રહી શકે છે.” રિમઝિમ ખુશ થઈ ગઈ અને ચિંકુના ઘરમાં શરણું લીધી. થોડા દિવસો પછી ચિંકુ શિકારીના જાળમાં ફસાઈ ગયો. તે ચીસ પાડતો હતો – “બચાવો, બચાવો!” રિમઝિમ તરત ઉડીને ગઈ અને તેની તીક્ષ્ણ ચાંચથી દોરી કાપી નાખી. ચિંકુ મુક્ત થયો. તે દિવસે બંનેએ સમજ્યું કે સાચો મિત્ર એ જ હોય છે જે મુશ્કેલીમાં સાથે ઉભો રહે. બોધ - આ વાર્તાથી બાળકોને શીખ મળે છે કે મિત્રતા ફક્ત રમવા માટે નથી, પણ એકબીજાની મુશ્કેલીમાં મદદ કરવા માટે છે. શું તમે ઈચ્છો તો હું આ વાર્તા માટે સુંદર ચિત્રો પણ બનાવી દઉં?

  • પ્રેરક પ્રસંગ – દિપક એક વાર એક શિષ્ય તેના ગુરુને પૂછે છે: ગુરુજી, હું નાનો છું, મારી પાસે ન તો સંપત્તિ છે, ન જ્ઞાન છે, તો હું દુનિયાને શું આપી શકું?" ગુરુજી શાંતિથી દીવો પ્રગટાવે છે અને શિષ્યને કહે છે: "દીવો ક્યારેય પૂછતો નથી કે હું કેટલો મોટો છું, કેટલો નાનો છું. તે માત્ર અંધકારને દૂર કરે છે. જેવું દીવો પોતાના પ્રકાશથી આસપાસ પ્રકાશ ફેલાવે છે, તેમ જ તું પણ પોતાની ક્ષમતાના મુજબ નાનામાં નાનું સારા કાર્ય કર. તારા નાના પ્રયત્નો પણ બીજાના જીવનમાં અજવાળું લાવી શકે છે." શીખ: જીવનમાં મોટું થવું જરૂરી નથી, પરંતુ બીજાના જીવનમાં અજવાળું લાવવું જ સચ્ચું યોગદાન છે.

  • આજની બાળવાર્તા નંદનવન નામે એક મોટું જંગલ હતું. તેમાં એક સિંહ રહેતો હતો. તે જંગલનો રાજા હતો. તે આખો દિવસ આરામ કરતો અને રાત્રે શિકાર કરતો. પોતાનું પેટ ભરાઈ જાય પછી કોઈ જીવને ન મારે. એક દિવસ બપોરના સમયે સિંહ પોતાની ગુફામાં આરામ કરતો હતો. એ સમયે ત્યાં એક ઉંદર આવી ચઢ્યો અને પોતાના સ્વભાવ મુજબ ખોરાક માટે આમતેમ દોડાદોડી કરવા લાગ્યો. અન્ન શોધવામાં તે એટલો બધો તલ્લીન હતો કે એને તે પણ ભાન ન રહ્યું કે આ સિંહની ગુફા છે અને પોતે સિંહના શરીર પર દોડાદોડી કરે છે. સિંહ પોતાના શરીર પર અચાનક સળવળાટ થતાં જાગી ગયો અને જોયું તો એક ઉંદર તેના શરીર પર દોડાદોડી કરતો હતો. તેણે જરા ઘુરકિયું કર્યું, અને ઉંદર ભાગી ગયો. થોડીવાર પછી પાછો ફરીથી સિંહના શરીર ઉપર દોડવા લાગ્યો. છેવટે સિંહ ગુસ્સે થઈ ગયો અને તરાપ મારીને ઉંદરને પોતાના પંજામાં દબાવી દીધો. ઉંદર બિચારો ધ્રૂજવા લાગ્યો. તે સિંહને કરગરવા લાગ્યો ” હે મહારાજ! મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. હું હવે તોફાન નહિ કરું. હું તો નાનકડું પ્રાણી છું મને મારીને તમારીએ ભૂખ ભંગશે નહીં. મારો આટલો ગુનો માફ કરશો તો હું તમારો ઉપકાર જિંદગીભર નહિ ભૂલું. કોઈ આપત્તિના સમયે હું તમને જરૂર કામ આવીશ.” સિંહ તેની વાત સાંભળી હસવા લાગ્યો. તેને થયું કે,આ નાનકડો ઉંદર મને શું મદદ કરવાનો? છેવટે સિંહે ઉંદરને છોડી મૂક્યો. પછી ઉંદર ફરી સિંહની ગુફામાં જવાની હિંમત કરતો નહિ. થોડા દિવસ પછી અચાનક એક દિવસ સિંહ શિકાર કરીને પોતાની ગુફા તરફ આવી રહ્યો હતો. એ ગુફા નજીક આવ્યો ત્યાં જ શિકારીએ બિછાવેલ જાળમાં ફસાઈ ગયો. સિંહે જાળમાંથી બહાર નીકળવા ખૂબ જ ધમપછાડા કર્યા, ગર્જનાઓ કરી, પણ તે બહાર આવી શક્યો નહિ. જેટલો તે જાળમાંથી છટકવા પ્રયત્ન કરતો તેટલો વધુ ફસાતો. સિંહની ગર્જનાઓ સાંભળીને ઉંદર પોતાના દરમાંથી બહાર આવ્યો અને જોયું તો સિંહ જાળમાં ફસાઈ ગયો હતો. તે સિંહની પાસે આવ્યો અને બોલ્યો” મહારાજ! તમે ચિંતા ન કરો. હું હમણાં તમારી આ જાળ તોડી નાખું છું.” આમ કહી ઉંદર તો પોતાના તીક્ષ્ણ દાંત વડે જાળ કાપવા મંડી પડ્યો. થોડી જ વારમાં તો ઉંદરે આખી જાળ કાપી નાખી અને સિંહ જાળમાંથી મુક્ત થઈ ગયો. સિંહ નાનકડા ઉંદરના કામથી ખૂબ રાજી થઈ ગયો. તે આજ સુધી ઉંદરને તુચ્છ ગણતો હતો. આજે તેને સમજાઈ ગયું કે એ તુચ્છ ઉંદરે એનો જીવ બચાવ્યો હતો. તેણે ઉંદરનો ખૂબ આભાર માન્યો. ત્યાર પછી બંને મિત્રો બની ગયા. વિષ્ણુ શર્મા આ કથાનો બોધ અપતાં કહે છે ” આ સંસારમાં કોઈને પણ તુચ્છ ન ગણવા. ક્યારેક તુચ્છ કે નાના માણસો પણ આપણું ઘણું મોટું કાર્ય કરી આપે છે.” 👏👏👏

  • આજની બાળવાર્તા આળસુ કબૂતર એક ખેતર હતું. ખેતર પાસેના ઝાડ પર એક ચકલી અને એક કબૂતર રહેતાં હતાં. ચોમાસું સારું રહ્યું હોવાથી ખેતરમાં ખુબ જ સારો પાક થયો હતો. ખેતર દાણા વાળા ડૂંડાઓથી લચી રહ્યું હતું. ચકલી રોજ વહેલી સવારે ખેતરમાં દાણા ચણવા જતી હતી. લણણી (પાકની કાપણી)નો સમય નજીક આવ્યો એટલે ચકલીએ શિયાળાની ઋતુ માટે દાણા ભેગા કરી સાચવી રાખવા વિચાર્યું. તેણે કબૂતરને પણ એમ કરવા કહ્યું. કબૂતર આળસુ હતું એટલે એણે ધ્યાન ન આપ્યું. રોજ સવારે ચકલી કબૂતરને એની સાથે આવવા કહેતી હતી. કબૂતર એને કહેતું: "ઠાગા ઠૈયા કરું છું..ચાંચુડી ઘડાવું છું...જાવ રે ચકલીબેન આવું છું.." ચકલી દાણા એકઠા કરતી હતી. તેણે કબૂતરને કહ્યું કે હવે ગમે ત્યારે ખેડૂત પાકની કાપણી કરી લેશે. પણ આળસુ કબૂતર મોડું કર્યે રાખતું અને કહ્યા કરતું: "ઠાગા ઠૈયા કરું છું..ચાંચુડી ઘડાવું છું...જાવ રે ચકલીબેન આવું છું.." એક દિવસ ખેડૂતે પાકની કાપણી કરી લીધી. ચકલીએ તો દાણા ભેગા કરી લીધા હતા પણ આળસુ કબૂતર શિયાળા માટે પૂરતા દાણા ભેગા ન કરી શક્યું.  બોધ - યાદ રાખો આળસુએ કિંમત ચુકવવી જ પડે! સારું જીવન જીવવા માટે આળસ ખુબ જ નુકસાનકર્તા છે. 👏👏👏

  • બાળવાર્તા એક બ્રાહ્મણ હતો. બહુ ગરીબ. જેમ તેમ કરી ઘર ચલાવે. માંડ માંડ રોટલાંની જોગવાઈ થાય. ઘરમાં છોકરાંવ દૂધ પીવાના ઘણી વખત કજિયા કરે પણ બ્રાહ્મણ પાસે ગાય કે ભેંશ વસાવવાની ત્રેવડ નહિ તે છોકરાંઓને દૂધ પીવડાવે કઈ રીતે? એક દિવસ એને એક વિચાર આવ્યો કે લાવને એક બકરીનું બચ્ચું વેચાતું લઈ આવું. તેના કંઈ બહુ પૈસા પડશે નહિ અને તે થોડું મોટું થઈ જતાં છોકરાઓને દૂધ તો પીવા મળશે. તે ઉપડ્યો બાજુના ગામમાં અને ત્યાંથી બકરીનું એક નાનું બચ્ચું ખરીદી પોતાને ખંભે મૂકી ચાલતો થયો. રસ્તામાં ત્રણ ધૂતારાની એક ટોળી જતી હતી. ધૂતારાઓને થયું કે આ બ્રાહ્મણ તો સાવ ભોટ જેવો દેખાય છે. ચાલો, તેની પાસેથી બકરું પડાવી લઈએ. ધૂતારાના સરદારે પોતાના બે સાથીદારોને સમજાવીને દૂર દૂર મોકલાવી દીધા અને પોતે બ્રાહ્મણ પાસે જઈ તેને જાળમાં લેવાની શરૂઆત કરી. ધૂતારો કહે : અરે બ્રાહ્મણ દેવતા. તમે તો પવિત્ર માણસ કહેવાઓ. તમને આવું કરવું ન શોભે. તમે આમ શેરીમાં રખડતું કૂતરું ખંભે ચડાવીને જાઓ છો તે લોકો જોશે તો શું કહેશે? તમારે ઘરે જઈને નહાવું પડશે ને પ્રાયશ્ચિત કરવું પડશે.  બ્રાહ્મણને આ સાંભળી નવાઈ લાગી. એણે પોતાને ખંભે રાખેલા બકરીના બચ્ચાંને બરાબર જોયું અને કહે : ભાઈ, તમારી કૈંક ભૂલ થાય છે. આ કૂતરું નથી પણ બકરીનું બચ્ચું છે.  ધૂતારો કહે ભૂલ મારી નહિ તમારી થાય છે. તમને મારી વાત માનવામાં ન આવતી હોય તો બીજા કોઈને પૂછી જોજો. એમ કહી તે ચાલતો થયો.  બ્રાહ્મણ તો રસ્તે આગળ વધ્યો. થોડી વાર ચાલ્યો ત્યાં તેને બીજો ધૂતારો મળ્યો. તે કહે : તમે જનોઈ પહેરી છે. વેશ પણ બ્રાહ્મણનો પહેર્યો છે પણ તમે બ્રાહ્મણ લાગતા નથી. કોઈ બ્રાહ્મણને આવી રીતે અપવિત્ર કૂતરું ખંભે ચડાવીને લઈ જતાં હજુ સુધી મેં જોયો નથી. તમે આવું ગંદુગોબરું કૂતરું શું કામ લઈ જાવ છો?  બ્રાહ્મણ તો આ સાંભળી ગભરાયો. ફરી તેણે બરાબર ધ્યાનથી ધારી ધારીને બકરીનું બચ્ચું જોયું. પછી જેમ તેમ હિમત ભેગી કરી કહ્યું : આ તમને બધાને ગેરસમજ કેમ થાય છે? આ કૂતરું નથી, બકરીનું બચ્ચું છે અને હું તેને મારે ઘેર લઈ જાઉં છું. બીજો ધૂતારો જાણે પોતાને આ વાત માનવામાં જ ન આવી હોય તેમ માથું ધૂણાવતો ધૂણાવતો ચાલતો થયો.  હજુ બ્રાહ્મણ આગળ ચાલ્યો ત્યાં તેને ત્રીજો ધૂતારો સામે મળ્યો. તે તો બ્રાહ્મણના પગમાં જ પડી ગયો. કહે કે તમે તો કોઈ ચમત્કારી પુરુષ છો. આવું જાદૂઈ પશુ તમને ક્યાંથી મળ્યું? આ તમારા ખંભા પર જે કૂતરું છે તે ઘડીકમાં બકરી જેવું થઈ જાય છે, ઘડીકમાં કૂતરા જેવું લાગે છે અને હમણાં થોડી વાર પહેલાં મેં તેને દૂરથી જોયું ત્યારે સસલું દેખાતું હતું. તમે તો ખરેખર મહાન માણસ છો. એક જ પ્રાણીના આટલા બધાં સ્વરૂપ! વાહ ભાઈ વાહ! આવું તો મેં કોઈ દિવસ જોયું નથી.  આ સાંભળીને બ્રાહ્મણના તો હોશકોશ ઊડી ગયા. તેને ખાત્રી થઈ ગઈ કે નકી આ બકરીનું બચ્ચું કોઈ માયાવી-રાક્ષસી પ્રાણી લાગે છે. બાકી રસ્તે ચાલ્યા જતાં દરેક માણસ કંઈ ખોટું થોડું બોલે? એ તો બચ્ચું ખંભેથી નીચે ઉતારી દોડતો દોડતો નાસી ગયો. અને ત્રણે ધૂતારા બ્રાહ્મણની મૂર્ખાઈ પર હસતાં હસતાં બકરીનું બચ્ચું ઊઠાવી ત્યાંથી રવાના થઈ ગયાં. બોધ - આપણને રસ્તામાં જે કોઈ મળે તે સાચું જ કહે છે એવો ખોટો ભ્રમ કદી ન રાખવો. બાળમિત્રો સમાજમાં પણ આવી ખોટી સમજણ આપવા વાળા ઘણા બધા બેઠા જ છે. પણ સાચું શુ છે તે આપણે આપણી બુદ્ધિ થી સાચો નિર્ણય લેવાનો છે.

  • આજની બાળવાર્તા એક સમયની વાત છે. એક શહેરમાં એક કંજૂસ બ્રાહ્મણ રહેતો હતો. એક દિવસ તેને ભિક્ષામાં જે સત્તૂ મળ્યો તેમાંથી થોડો ખાઈને બાકીનો તેને એક મટકામાં ભરીને મૂકી દીધો. પછી તેને તે મટકાને ખૂંટા પર લટકાવી દીધું અને પાસે જ ખાટલો નાખીને સૂઈ ગયો. સૂતા-સૂતા તે સપનાની અનોખી દુનિયામાં ખોવાઈ ગયો અને અજીબ કલ્પનાઓ કરવા લાગ્યો.  તે વિચારવા લાગ્યો કે જ્યારે શહેરમાં અકાલ પડશે તો સત્તૂની કીમત 100 રૂપિયા થઈ જશે. હું સત્તૂ વેચીને બકરીઓ ખરીદી લઈશ.પછી તે બકરીઓને વેચી ગાય ખરીદીશ. ત્યારબાદ ભેંસ અને ઘોડા પણ ખરીદીશ.  કંજૂસ બ્રાહ્મણ કલ્પનાઓની વિચિત્ર દુનિયામાં પૂર્ણરૂપથી ગુમી ગયો હતો. તેને વિચાર્યુ કે ઘોડાને સારા મૂલ્યથી વેચીને ખૂબ સોનો ખરીદી લઈશ. પછી સોનાને સારા મૂલ્ય પર વેચીને મોટો ઘર બનાવીશ. મારી સંપત્તિ જોઈને કોઈ પણ તેમની દીકરીનો લગ્ન મારાથી કરી નાખશે. લગ્ન પછી મારો જે બાળક થશે. હું તેમનો નામ મંગળ રાખીશ. ફરી જ્યારે મારા બાળક તેમના પગે ચાલવા લાગશે, તો હુ દૂરથી તેને રમતા જોઈને આનંદ લઈશ. જ્યારે બાળક મને પરેશાન કરવા લાગશે, તો હું પત્નીથી બોલીશ કે તૂ બાળકને સારી રીતે સંભાળી પણ નથી શકતી જો તે ઘરના કામમાં વ્યસ્ત થશે અને મારી વાતનો પાલન નહી કરશે ત્યારે હુ ગુસ્સામાં ઉઠીને તેની પાસે જઈશ અને તેને પગથી ઠોકર મારીશ. આ બધી વાત-વિચારતા-વિચારતા બ્રાહણનો પગ ઉપર ઉઠે છે અને સત્તૂના ભરેલા મટકાને ઠોકર મારી નાખે છે. જેનાથી મટકો તૂટી જાય છે. આ રીતે સત્તૂથી ભરેલા મટકાની સાથે જ કંજૂસ બ્રાહ્મણનો સપનો પણ ચૂર-ચૂર થઈ જાય છે.  બોધ - બાળમિત્રો આ વાર્તાથી શીખામણ મળે છે કે કોઈ પણ કામ કરતા સમયે મનમાં લાલચ નહી આવવો જોઈએ. લાલચનો ફળ કયારે મીઠો નહી હોય છે. સાથે જ માત્ર સપના જોવાથી સફળતા નહી મળે તેના માટે મેહનત કરવી  પણ જરૂરી છે.  👏👏👏

  • આજની વાર્તા એક વ્રુધ્ધ માણસ અદાલતમાં દાખલ થયાં જેથી પોતાની શિકાયત જજ સામે રજૂ કરે.      જજે પૂછ્યું : તમારો કેસ કોની વિરુધ્ધ છે?      તેમણે કહ્યું : મારા પુત્ર વિરુધ્ધ.     જજ હેરાન થયો અને પુછ્યું : શું ફરિયાદ છે?    વ્રુધ્ધે કહ્યું :  હું મારા પુત્ર પાસેથી એની તાકત મુજબ માસિક ખર્ચો માંગી રહ્યો છું.    જજે કહ્યું : આ તો તમારો તમારા પુત્ર પર એવો હક છે કે જેની દલીલો સાંભળવાની કોઈ જરૂરત જ નથી.      વ્રુધ્ધે કહ્યું : જજ સાહબ ! એ છતાં કે હું માલદાર છું અને પૈસાની જરૂરત નથી, પરંતુ હું ઈચ્છું છું કે મારા પુત્ર પાસેથી માસિક ખર્ચ પ્રાપ્ત કરતો રહું.      જજ હેરાન થઈ ગયો અને એની પાસેથી એના પુત્રનું નામ અને સરનામું લઈ એને અદાલતમાં હાજર થવાનો હુકમ જારી કર્યો.      પુત્ર અદાલતમાં હાજર થયો તો જજે એને પૂછ્યું : આ તમારા પિતા છે?      પુત્રે કહ્યું : જી, હાં આ મારા પિતા છે.      જજે કહ્યું : તેમણે તમારા વિરુધ્ધ કેસ કર્યો છે કે તમે એમને માસિક ખર્ચ થોડો ઘણો પણ ખર્ચ આપતા રહો.      પુત્રે હેરાનીથી કહ્યું : તેઓ મારી પાસેથી ખર્ચ કેમ માંગી રહ્યા છે જ્યારે કે તેઓ ખુદ ખૂબ માલદાર છે અને એમને મારી મદદની કોઈ જરૂરત નથી.      જજે કહ્યું : આ તમારા પિતાની માંગ છે અને તેઓ પોતાની માંગમાં આઝાદ અને હક પર છે.      વ્રુધ્ધે કહ્યું : જજ સાહબ ! જો તમે ફક્ત માસિક એક ડોલર આપવાનો હુકમ આપશો તો પણ હું ખૂશ થઈ જઈશ પરંતુ શર્ત એટલી કે તે એક ડોલર મને પોતાના હાથથી મોડું કર્યા વગર આપ્યા કરે.      જજે કહ્યું :   બિલકુલ એવું જ થશે, એ આપનો હક છે. પછી જજે હુકમ જારી કર્યો કે ફલાણો પોતાના પિતાને પિતાની હયાતી સુધી માસિક એક ડોલર સમયસર પોતાના જ હાથથી આપ્યા કરશે.      અદાલતનો રૂમ છોડતા પહેલા જજે વ્રુધ્ધ બાપને પૂછ્યું : જો તમને ખોટું ન લાગે તો મને બતાવો કે તમે ખરેખર આ કેસ કેમ કર્યો? જ્યારે કે તમે માલદાર છો અને તમે ઘણી જ મામૂલી રકમની માંગણી કરી?       વ્રુધ્ધે રડતાં રડતાં કહ્યું : જજ સાહબ ! હું મારા તે પુત્રને જોવા માટે તરસી રહ્યો છું અને તેને તેના કામોએ એટલો વ્યસ્ત કરી દીધો છે કે મેં ઘણા લાંબા સમયથી એનો ચેહરો સુધ્ધાં નથી જોયો, જ્યારે કે હું મારા પુત્રને ખૂબ જ પ્રેમ કરું છું. અને દરેક ક્ષણે મારા દિલમાં એનો ખ્યાલ રહે છે, તે મારી સાથે ટેલિફોનથી પણ વાત સુધ્ધાં નથી કરતો, એ જ કારણથી કે હું એને જોઈ શકું ચાહે મહિનામાં એક વખત કેમ ન હોય ? એટલે મેં આ કેસ દાખલ કર્યો છે.      આ સાંભળી જજ બેકાબુ થઈ રડવા લાગ્યાં અને સાથે સાથે બીજાઓ પણ, અને વ્રુધ્ધ બાપ ને કહ્યું : ઇશ્વર સોગંધ  ! જો તમે પહેલાથી મને આ બાબતની જાણ કરી હોત તો હું એને જેલની અને કોરા મારવાની સજા સંભળાવતો.      વ્રુધ્ધ બાપે મુસ્કુરાતા કહ્યું : મારા વ્હાલા જજ ! તમારો એ હુકમ મારા દિલને તકલીફ પહોંચાડતો.      કાશ !!! બાળકો જાણતા કે એમના માતા-પિતાના દિલોમાં એમની કેટલી લાગણીઓ છે, એના પહેલા કે સમય નીકળી જાય. બોધ - માતા-પિતા એ આપણા જીવતા જગત ભગવાન જ છે.આ ભગવાનનું સન્માન કરો. 👏👏👏

  • વાણિયાની બુદ્ધિ એક વાર અકબર બાદશાહ બીરબલ સાથે અલક મલક ની વાતો કરતા બેઠા હતા, અકબરે બીરબલ ને પૂછ્યું “કહો સૌ થી ચતુર જાતિ કઈ?” બીરબલ કહે “હોંશીયાર તો વાણીયા”, અકબર કહે “અને મૂરખ કોણ?” બીરબલ કહે “મૂરખ તો મુલ્લા…” અકબર આ વાત ન માન્યા, તે બીરબલ પર ગુસ્સે થઈ ગયા. તે કહે “ખોટી વાત, મુલ્લાઓ તો બહુ હોંશીયાર હોય છે.” બીરબલ કહે “તો ચાલો પરીક્ષા કરી જોઈએ…” અકબર કહે “ભલે તો કાલે કરીએ પારખા…” બીજે દિવસે બીરબલે દરબારમાં એક મુલ્લા અને એક વાણીયા ને તેડાવ્યા. પહેલા એણે મુલ્લા ને પૂછ્યું, “મુલ્લાજી, બાદશાહ સલામતને આપની દાઢી ની જરુર પડી છે, બોલો શું કિંમત લેશો?” મુલ્લાજી કહે “બાદશાહ તો માલિક કહેવાય, એ તો અન્નદાતા છે, મને બાદશાહ સલામત જે આપે તે ક્બૂલ છે”….બીરબલે હજામ તૈયાર રાખ્યો હતો, તેણે મુલ્લાની દાઢી કરી નાખી અને તેને બદલામાં સો રુપીયા આપ્યા. હવે બીરબલ વાણીયા તરફ વળ્યો અને તેને કહ્યું, “બાદશાહ સલામતને આપની દાઢી ની જરુર પડી છે, બોલો શું કિંમત લેશો?” વાણીયો કહે “બાદશાહ સલામત માટે તો જીવ પણ હાજર છે, બાદશાહ માંગે તે આપી દેવુ એ તો ફરજ કહેવાય, પણ અમારે ત્યાં દાઢી એ તો ઈજ્જતનો સબબ કહેવાય છે. મારી દાઢી એટલે મારી આબરૂ. મારી માં મરી ગઈ ત્યારે આ જ દાઢી ની આબરૂ રાખવા મેં દસ હજાર રૂપીયા ખર્ચ્યા હતા. મારી પુત્રીના લગ્ન માં પચીસ હજાર આ જ દાઢી એટલે કે મારી આબરૂ માટે વાપર્યા હતા. ..આવા તો ઘણા ખર્ચા કર્યા હતા, બીરબલજી સમજો કે દાઢી એ જ મારી આબરૂ…” બીરબલ કહે “જા વાણીયા તને પચાસ હજાર આપ્યા, ગણી લે…હવે દાઢી આપી દે” વાણીયાએ તો પચાસ હજાર ગણી લઈ લીધા, પછી તે દાઢી મુંડાવવા બેઠો. પણ જેવો હજામે દાઢી ને હાથ લગાડ્યો કે વાણીયાએ તેને એક તમાચો મારી દીધો. કહે “અલ્યા મૂરખ, આ કોઈ વાણીયાની દાઢી થોડી છે? આ તો બાદશાહ સલામતની દાઢી છે અને અમારે ત્યાં દાઢી એટલે આબરૂ…..બાદશાહ સલામતની આબરૂ ને હાથ લગાડવાની ગુસ્તાખી ના કરતો….” અકબર બાદશાહ હસવા લાગ્યા, બીરબલ કહે જોયું? વાણીયા એટલે ડાહીમાના દીકરા” 👏👏👏

  • આ વાત પણ બાળકો ને સ્પિરિટ થી સમજાવજો જ હનુમાન ચાલીસાની રચના કેવી રીતે થઇ  ? આ એક વાર્તા નહીં, સત્ય કથા છે, જેની કદાચ જ કોઇને પણ ખબર નહીં  હોય પવનપુત્ર હનુમાનજીની આરાધના સહુ કોઇ હનુમાન ચાલીસા ગાઈને કરે છે. પરંતુ તેની રચના કેવી રીતે થઇ  એની ભાગ્યે જ કોઇને ખબર હશે. તુલસીદાસજીના જીવનકાળ વખતે ઈ.સ. ૧૬૦૦ના અરસામાં અકબર બાદશાહની હકુમત હતી. એક વાર તુલસીદાસજી  મથુરા જતાં  હતાં ને. રાત પડવા આવી હતી એટલે એમણે આગ્રામાં મુકામ કર્યો. લોકોને જેવી  ખબર પડવા લાગી કે તુલસીદાસજી મથુરા પધાર્યા છે લોકો  એમનાં દર્શન કરવા ઉમટી પડ્યાં. અકબરને આ વાતની ખબર પડી એટલે એમણે બિરબલને પુછ્યું કે આ તુલસીદાસજી કોણ છે? બિરબલે જણાવ્યું કે તુલસીદાસજી રામભક્ત છે અને તેઓએ રામચરિતમાનસ રચના કરી  છે. હું પણ એનાં દર્શન કરીને જ અહીં આવ્યો છું. તો અકબરે પણ તુલસીદાસજીનાં દર્શન કરવાની ઇચ્છા દર્શાવી. બાદશાહ અકબરે સિપાહીઓની ટૂકડી મોકલી અને તુલસીદાસજીને બાદશાહનું ફરમાન સંભળાવ્યું કે લાલકિલ્લામાં હાજર થાઓ. તુલસીદાસજીએ જણાવ્યું કે હું તો ભગવાન શ્રી રામચંદ્રજીનો ભક્ત છું અને મારે બાદશાહ કે લાલકિલ્લા સાથે કાંઇ લેવાદેવા નથી,  લાલકિલ્લે હું જાવાનો નથી. તુલસીદાસજીનો જવાબ બાદશાહને મળ્યો તો એને ઘણું ખોટું લાગી ગયું બાદશાહ અકબર રાતાપીળા થઈ ગયા,  તુલસીદાસજીને હાથકડી પહેરાવીને લાલકિલ્લે પકડી લાવવા ફરમાન કર્યું. તુલસીદાસજીને હાથકડી પહેરાવી લાલકિલ્લે પકડી લાવવામાં આવ્યા તો અકબરે કહ્યું કે તમે તો કાંઇક ચમત્કારી વ્યક્તિ લાગો છો, કશોક ચમત્કાર કરી દેખાડો. તુલસીદાસજીએ કહ્યું કે હું તો રામચંદ્ર ભગવાનનો કેવળ ભક્ત માત્ર છું, કોઇ જાદુગર નથી કે જાદુના ખેલ કરીને તમને ચમત્કાર કે કૌવત દેખાડું. અકબર કાળજાળ ક્રોધિત થયા અને ફરમાન કર્યું કે આને હાથકડી પહેરાવીને કાળી કોટડીમાં પૂરી દો. બીજે દિવસે આગ્રાના એ લાલકિલ્લા ઉપર લાખોની સંખ્યામાં વાંદરાંઓ એકસામટા તૂટી પડ્યા અને આખોયે લાલકિલ્લો ખેદાનમેદાન કરીને સંપૂર્ણ વિધ્વસ્ત કરી નાખ્યો. લાલકિલ્લાની તબાહી જોઈને અકબરે બિરબલને પુછ્યું કે આ બધું શું બની રહ્યું છે...? બિરબલે કહ્યું કે હુજુર, આપને ચમત્કાર જોવો હતો તો જોઈ લો. અકબરે તરત જ તુલસીદાસજીને કાળી કોટડીમાંથી મુક્ત કરીને હાથકડી છોડાવી નાખી. તુલસીદાસજીએ બિરબલને કહ્યું કે મને વગર અપરાધે સજા મળી છે. હું તો એ કોટડીમાં પૂરાઈને રામચંદ્રજી અને હનુમાનજીનું સ્મરણ કરતાં કરતાં રોઈ રહ્યો હતો. હનુમાનજીની પ્રેરણાથી મારા હાથ આપોઆપ જ લખવા મંડ્યા હતા. ૪૦ ચોપાઇ હનુમાનજીની પ્રેરણાથી લખાઈ ગઈ છે. જો કોઇ વ્યક્તિ સંકટ કે દુઃખમાં હોય ત્યારે એનો પાઠ કરશે એનાં સઘળાં દુઃખ કે સંકટ દૂર થશે. એ હનુમાન ચાલીસા નાં નામથી ઓળખાશે. અકબર ઘણાં જ છોભીલા પડી ગયા. તુલસીદાસજીની એમને માફી માગી. પૂરાં સન્માન અને ઠાઠથી તેમ જ સૈન્ય પહેરા સાથે એમને મથુરા તરફ વિદાય આપી. 👏👏👏

  • બાળવાર્તા એક વખત અકબર રાજા પોતાના હાસ્‍યરત્ન બિરબલ પર અત્યંત ગુસ્સે થયાં અને આવેશમાં આવી જઈને તેમણે બિરબલને રાજ્યને છોડીને ચાલ્યા જવાનું કહ્યું. રાજાની આજ્ઞા સ્વીકારીને બિરબલ રાજ્ય છોડીને ચાલ્યો ગયો અને કોઈ એક ગામમાં અજ્ઞાત વેશે એક ખેડૂતની વાડીમાં કામ કરવા માંડ્યો. આ બાજુ અકબરને પણ પોતાના રાજ્યમાં બિરબલની ખોટ વર્તાવા લાગી. અકબરે પોતાના સૈનિકોને બિરબલને શોધવા મોકલ્યાં પરંતુ બિરબલનો ક્યાંય પતો ન લાગ્યો. બિરબલ ક્યાં છે તે કોઇ પણ જાણતું ન હતું. આખરે અકબરે એક યુક્તિ શોધી કાઢી. તેણે રાજ્યમાં ગામે-ગામ ઢોલ પિટાવ્યો. દરેક ગામના વડાને સંદેશો મોકલ્યો કે, તમારા ગામમાંથી એક મહિનાની અંદર માટલું ભરીને બુદ્ધિ બાદશાહને મોકલી આપો. બુદ્ધિ મોકલી ન શકાય તો હિરા-ઝવેરાત ભરીને મોકલવા. આ સંદેશો બિરબલ જે ગામમાં છુપા વેશે રહેતો હતો ત્‍યાં પણ પહોંચ્યો. તે ગામના લોકો ભેગા થયાં. બધા ચર્ચા કરવા લાગ્યા કે હવે શું કરવું? બુદ્ધિ કોઈ વસ્‍તુ નથી કે, તેને માટલામાં ભરીને મોકલી શકાય. વળી બુદ્ધિના સ્થાને આટલા બધા હિરા-ઝવેરાત લાવવા કયાથી ? આ બધી વાત સાંભળી બિરબલે કહ્યું, માટલું મને આપી દો, હું એક મહિનાની અદંર તેમાં બુદ્ધિને ભરી આપીશ. બધાએ બિરબલની વાત સ્‍વીકારી લીધી. બિરબલ માટલું લઇ વાડીમાં ગયો. વાડીમાં તરબુચ વાવેલા હતાં. બિરબલે એક નાના તરબુચને વેલામાંથી તોડ્યા વગર માટલામાં રાખી દીધું. બાદમાં બિરબલ રોજ માટલાવાળા તરબુચના વેલાનું ખાસ ધ્યાન રાખવા માંડ્યો. તે વેલાને નિયમીત પાણી અને ખાતર નાખવા લાગ્યો. થોડા દિવસમાં તે તરબુચ માટલાની અંદર વિકાસ પામી એટલું બધુ મોટું થઇ ગયું કે તેને માટલામાંથી બહાર કાઢવું અશક્ય થઇ ગયું. માટલાની અંદર તે તરબુચ લગભગ માટલા જેવડું થઇ ગયું હતું. બિરબલે વેલામાંથી તરબુચને કાપીને માટલા સાથે અલગ કરી લીધું. બાદમાં તે માટલાને તરબુચ સાથે બાદશાહને મોકલ્યું સાથે સંદેશો પણ મોકલ્યો કે, માટલામાંથી બુદ્ધિને માટલું ફોડ્યા વગર અને બુદ્ધિને કાપ્યા વગર કાઢીને માટલાને પાછું મોકલવું. અકબર તરબુચને માટલામાં જોઇને સમજી ગયા કે આ કામ ફક્ત બિરબલ કરી શકે. અકબર ખુદ તે ગામમાં આવ્યા અને બિરબલને સમજાવીને પોતાના દરબારમાં પાછો લઇ ગયાં. 👏👏👏

  • લોભીને લાલચ ભારે પડી એક હતો લોભિયો. અસલી, પાકો ને ખરેખરનો લોભિયો.  આ લોભિયા ભાઈને લીલું કોપરું ખાવાનું મન થયું. કહે: ‘લાવ, બજારમાં જાઉં ને ભાવ તો પૂછું?’  ‘અલ્યા નાળિયેરવાળા! આ નાળિયેરનું શું લઈશ?’  ‘કાકા! બે રૂપિયા.’  ‘બે રૂપિયા? એ આપણું કામ નહિ. રૂપિયાનું નાળિયેર ક્યાંય મળે કે?’  ‘કાકા! જરા આગળ જાઓ તો મોટી બજારમાં મળશે ચાલને મોટી બજાર સુધી જાઉં! એક રૂપિયો બચતો હોય તો પગ છૂટો થશે ને સસ્તું નાળિયેર પણ મળશે.’  અલ્યા ભાઈ ! નાળિયેરનું શું લે છે?’  ‘કાકા ! એક રૂપિયો. જૂઓ આ પડ્યાં નાળિયેર. જોઈએ એટલાં લઈ જાઓ!’  ‘અરે! હું આટલે સુધી ચાલીને આવ્યો ને તું એક રૂપિયો માંગે છે? પચાસ પૈસે આપ, પચાસ પૈસે.’  ‘તો કાકા ! જરા વધુ આગળ જાઓ; ગામ બહારની વખારમાંથી તમને પચાસ પૈસે મળશે.’  ‘પચાસ પૈસા ક્યાં રેઢા પડ્યા છે? એટલું ચાલી નાખશું. લાવને, વખાર સુધી જાઉં!’  ‘અલ્યા વખારવાળા! આ નાળિયેર કેમ આપ્યાં? આ તો સારાં લાગે છે!’  ‘કાકા! એમાં શું ભાવ કરવાનો હોય? લઈ જાવ પચાસ પૈસે નાળિયેર.’  ‘અરે રામ! આટલું ચાલ્યો એ પાણીમાં ગયું? એમ કર, પાવલીમાં આપીશ? આ લે રોકડા પૈસા.’    ‘કાકા! પાવલી પણ શું કામ ખરચવી ? એક કામ કરો. જૂઓ અહીંથી બે કલાક આગળ ચાલીને જશો તો દરિયા કિનારો આવશે. ત્યાં નાળિયેરીના હારબંધ ઝાડ છે. ઝાડ ઉપર ચડી તમતમારે નાળિયેર તોડી લેજોને. એક પૈસો પણ ખરચવો નહિ અને જોઈએ એટલા નાળિયેર મળશે!’    લોભિયા ભાઈ તો લલચાઈ ગયા. કહે : ‘હવે આટલા ભેગું આટલું. ચાલને ઝાડ ઉપરથી જ નાળિયેર ઉતારી લઉં! પાવલી બચતી હોય તો એક ટંક દૂધ આવશે. પાવલી ક્યાં મફત આવે છે?’    લોભિયા ભાઈ તો ઉપડ્યા દરિયા કિનારે અને નાળિયેરી ઉપર ચડ્યા. મનમાં એમ કે ‘આટલાં બધાં મોટાં મોટાં નાળિયેર અબઘડી ઉતારી ને ફાંટ બાંધીને લઈ જાઉં ! એક પૈસો યે દેવાનો નહિ ને સાવ તાજાં નાળિયેર! આ વાત તો બહુ સારી કહેવાય.’    લોભિયા ભાઈ ઝાડની છેક ઉપર પહોંચ્યા. લાંબો હાથ કરીને નાળિયેર લેવા ગયા પણ નાળિયેર તોડવાની આવડત કે અનુભવ નહિ એટલે નાળિયેરનું ઝૂંડ પકડીને જ લટકી પડ્યાં. ન નાળિયેર તૂટે ને ન પોતે નીચે ઉતરી શકે. એવી તો હાલત ખરાબ થઈ ગઈ કે વાત ન પૂછો. બૂમાબૂમ કરી માણસો ભેગા કર્યાં પણ કોઈ એમને નીચે ઉતારવા તૈયાર નહિ. છેવટે એક મજૂર તૈયાર થયો પણ કહે કે શેઠ! તમને નીચે ઉતારવાના દશ રૂપિયા થશે. ખૂબ રકઝક પછી પણ એ ન માન્યો એટલે લોભિયા ભાઈ થાકી-હારીને દશ રૂપિયા આપી નીચે ઉતર્યા પણ નીચે ઉતરતાં ઉતરતાં એક નાળિયેર તો પોતાની સાથે લઈ જ આવ્યા.    આમ લોભિયા ભાઈને બે રૂપિયાનું એક નાળિયેર છેવટે દશ રૂપિયામાં પડ્યું! બોધ - બાળમિત્રો યાદ રાખો લાલચ હંમેશા માણસ ને ભારે જ પડતી હોય છે. 👏👏👏

  • દેડકો  અને ખિસકોલી એક હતો દેડકો અને એક હતી ખિસકોલી .     એક દિવસ બંનેને ભાઈબંધી થઈ . રોજ બંને સાથે સાથે રમે ને મજા કરે . રમતાં રમતાં એક દિવસ દેડકો  કહે:    “ ખિસકોલીબાઈ , ખિસકોલીબાઈ ? મારે તો પરણવું છે .”      ખિસકોલી કહે :” ઓહો એમાં તે કેટલી વાર ? ચાલ ને હમણા જ પરણાવું ! તને પરણાવતાં કેટલી વાર ?કહે તો રાજાની દીકરી પરણાવું “     દેડકો કહે : “ ચાલ ત્યારે .”     ખિસકોલી ને દેડકાભાઈ તો ચાલ્યાં . ચાલતાં ચાલતાં રસ્તે  એક મોટું તાડનું ઝાડ આવ્યું . ખિસકોલીબાઈને ઝાડે ચડવાનું મન થયું .    ખિસકોલી કહે : “ દેડકાભાઈ ! તું ઊભો રહે . હું જરા આ ઝાડ ઉપર જઈ આવું! “    દેડકો કહે : “ત્યારે મનેય તું ઉપર લેતી જાને ? “    ખિસકોલી કહે : “ તો બેસી જા મારા વાંસા પર ને પકડી રાખ .”    દેડકો ને ખિસકોલી ઝાડ ઉપર ચડ્યા .    દેડકાને તો ખિસકોલીએ એક પાંદડા ઉપર બેસાડ્યો .  થોડી વાર થઈ ત્યાં તો ખિસકોલી સડપ દઈને નીચે ઊતરી ગઈ ને દેડકાભાઈ તો ઝાડ ઉપર ડોળા વકાસી બેસી રહ્યા!    દેડકો મનમાં કહે :          “પીચી પીચી સાથે દોસ્તી કીધી ,            તાડ  પર     કીધો      વાસો ;           પરણવાનું  તો    કોરે  રહ્યું  ,          પણ      ઉતરવાનો    સાંસો ! “   ખિસકોલીબાઈ તો આગળ ચાલી ; ને દેડકાભાઈએ ઉતાવળા થઈ મૂક્યું તે સોયે વરસ પૂરાં ! બોધ - ઉતાવળ કરવાવાળા મિત્રો પર ક્યારેય સંપૂર્ણ વિશ્વાસ કરવો નહિ. 👏👏👏

  • આજની બાળવાર્તા એક હતો કણબી ને એક હતી કણબણ. બેય હતા એક એકનું માથુ ભાંગે એવાં; એક એકને પહોંચી વળે એવાં. સાંજનો વખત હતો. કણબી ખેતરેથી આવી ખાટલે બેઠો બેઠો થાક ખાતો હતો. ત્યાં તો કણબણ રાંધણિયામાંથી બોલી - એ સાંભળ્યું કે? મારે પિયરથી ઓલ્યો માંડણ ભરવાડ આવ્યો છે. ઈ સમાચાર લાવ્યો છે કે ત્યાં દુકાળ પડ્યો છે ને ખાવા મળતું નથી. કહે કે મારાં મા-બાપ દૂબળાં થઈ ગયાં છે. કણબીએ આસ્તેથી જવાબ આપ્યો - તે એમાં આપણે શું કરીએ? આપણે કાંઈ પરભુ છીએ તે મે' આણીએ? હોય, દુકાળેય પડે ! કણબણને તો માઠું લાગ્યું ને તાડૂકી - લે! કે' છે, હોય, દુકાળેય પડે! ખબર પડે દુકાળ વેઠ્યો હોય તો! જુઓ, હું કહું છું કે આજ ને આજ જાઓ ને ગાડું ભરીને ઘઉં નાખી આવો. વળી તો આપણે તો આ ભગરી ભેંશ દૂઝે છે, માટે આ ટીલડી ગાય પણ લેતા જજો. સમજ્યા? કણબી તો વિચારમાં પડી ગયો ને માથું ખંજવાળવા મંડ્યો. ત્યાં તો માથામાંથી એક વાત જડી, ને સડપ કરતો તે ઊભો થયો ને રાંધણિયામાં ગયો. રસોડામાં જઈને કહે - એમાં શું? તું ભાતું કર. કાલ મળસ્કે જઈશ. સાથે આપણો ગગો પણ આવશે. પાસે ગગો ઊભો હતો. એ તો રાજીના રેડ થઈ ગયો. એ તો કૂદવા માંડ્યો ને દોડી દોડીને બોલવા માંડ્યો - હેઈ, કાલે આપાને ઘેર જવાનું! કણબીએ ભળકડે ગાડું જોડ્યું. કણબણે ઊઠીને ગાડામાં ઠાંસી ઠાંસીને ઘઉં ભર્યા, મહીં પચાસ રૂપિયાની કોથળી પણ સંતાડી. એના મનમાં એમ થયું કે ઘઉં ભેળી કોથળી પણ બાપાને પહોંચશે. ઘઉં ભરીને ગાડે એક ગાય પણ બાંધી દીધી. ગાયને ગળે સારું મજાનું એક ફૂમકું બાંધ્યુ ને ગાડાને અને કણબી ને રવાના કર્યાં. ગાડું ચાલ્યું જાય છે ત્યાં બે મારગ ફંટાયા. એક મારગ હતો કણબીના સસરાના ગામનો ને બીજો એની બહેનના ગામનો. કણબીએ હળવેક દઈ રાશ ખેંચીને ગાડું બહેનના ગામને મારગે વાળ્યું. ગાડામાંથી ગગો બોલ્યો - આતા! આ મારગ તો ફુઈના ગામનો. ઓલ્યો મામાના ગામનો મારગ. કણબી કહે - બેસ, હવે ડાયો થા મા, ડાયો! તને મારગની બહુ ખબર પડે તે! કાલ સવારનું છોકરું! ગગો મૂંગો થઈ બેસી રહ્યો ને ગાડું ચાલવા માડ્યું. સાંજ પડી. ગાડું બહેનને ગામ આવ્યું. ત્યાંયે દુકાળ પડેલો. નદી સુકાઈ ગયેલી. મોલ બળી ગયેલા. અન્નપાણીના સાંસા. બહેન તો ભાઈ ને જોઇને રાજીના રેડ થઈ ગઈ. એક તો ઘરે ભાઈ આવ્યો ને સાથે વળી ગાડું ભરીને ઘઉં લાવ્યો. ઉપરિયાણમાં એક દૂઝણી ગાય પણ લાવ્યો! બહેને ઝટપટ લાપશી કરી ને મગ કર્યાં. ભાઈ ભત્રીજાને ખૂબ ખૂબ હાથ ઠારીને જમાડ્યા ને કેટલીયે પરોણાચાકરી કરી. બાપદીકરો તો બહેનને ત્યાં સારી પેઠે બે ચાર દિવસ રહ્યા ને પછી ગાડું જોડી ઘેર પાછા આવ્યા. કણબી ઘેર આવ્યો એટલે કણબણ કહે - કાં ઘઉં આપી આવ્યા? કાં ગાય મારાં માબાપને કેવીક ગમી? કાં, બધાં સાજાંતાજાં છે ને? કણબી કહે – મારે તો ખેતર જવું છે. આ ગગલાને પૂછ. કણબણ કહે - હેં ગગા! મામા તો સારા છે ને? ગગો કહે - બા, ત્યાં કોઈ મામા નો'તા. કણબણ કહે - મામા કદાચ ગામ ગયા હશે. મામી તો સારી હતી ને? ગગો કહે - પણ બા! ત્યાં મામીબામી કોઈ નો'તું. ત્યાં તો ફુઈ હતાં, ભાણિયા હતા, ફુવા હતા ને ઈ બધાં હતાં. કણબણ વાત પામી ગઈ. મનમાં કહે......હં.....આ તો બહેનને ત્યાં બધું નાખી આવ્યા લાગે છે! કણબણે વિચાર કર્યો કે હવે કણબીની પૂરી ફજેતી કરવી. પછી કણબણ તો માથે ઓઢીને કૂટવા માંડ્યું. કણબણ રોતી જાય અને કૂટતી જાય...... ગોરી ગાયને ગળે ફૂમકું; ગાડું ઘઉં ને મહી બૂમકું; લે રે હૈયાભફ; લે રે હૈયાભફ! માણસો બધા ભેગા મળ્યા. બધા પૂછવા માંડ્યા –પટલાણી શું છે તે રુઓ છો? કણબણ કહે - ઈ તો ઘેરથી એની બહેનને ત્યાં ગોરી ગાય ને ગાડું ઘઉં દેવા ગયેલા, પણ દુકાળમાં બહેન ને ભાણેજાં મરી ખૂટેલાં તે પાછા આવ્યા. એટલે આજે એની કાણ માંડી છે. કણબીનું ઘર સારું એટલે ગામ આખું કૂટવા ને રોવા ભેગું થયું. કણબીને ખેતરે ખબર થઈ કે ઘરે તો કાણ માંડી છે એટલે એ પણ હાંફળો હાફળો ઘેર આવ્યો. ત્યાં તો સૌ કૂટતા હતાં.......... ગોરી ગાયને ગળે ફૂમકું; ગાડું ઘઉં ને મહી બૂમકું; લે રે હૈયાભફ; લે રે હૈયાભફ! કણબીની પાસે સૌ એની બહેન-ભાણેજનો ખરખરો કરવા લાગ્યા. કણબી વાત સમજી ગયો કે આ તો હાથનાં કર્યાં હૈયે વાગ્યાં! પછી બીજે દિવસ કણબી ગાડું ભરીને ઘઉં અને બીજી ગાય લઈ સાસરે જઈને આપી આવ્યો. 👏👏👏

  • આજની બાળવાર્તા સુંદરપુરા નગરની બહાર એક વિશાળ સરોવર આવેલું હતું. તેની ચારે તરફ મીઠાં ફળવાળાં વૃક્ષો હતાં. વિશાળ છાયા કરતાં વડ-લીમડો-પીપળો જેવાં વૃક્ષો પણ હતાં. ઠેક ઠેકાણે સુગંધી પુષ્પોના છોડ હતાં. સરોવરમાં લાલ અને શ્વેત કમળનાં પુષ્પો તથા રંગબેરંગી માછલીઓ શોભામાં ઓર વધારો કરતાં. સરોવરની આવી સુંદર શોભા કોઈને કેટલીયે જાતનાં પંખીઓએ ત્યાં પોતાનો નિવાસ કર્યો હતો. વળી એ પ્રદેશ રાજાના સિપાહીઓથી રક્ષાયેલો હોવાથી ત્યાં સસલાં, હરણ, વાંદરાં જેવાં પ્રાણીઓ પણ નિર્ભયપણે વિચરતાં. સરોવરના કિનારે એક વૃક્ષ પર એક હંસ રહેતો હતો. તેને એક માછલી સાથે દોસ્તી થઈ ગઈ. બન્ને રોજ સરોવરને કિનારે મળતાં અને જાતજાતની, ભાત ભાતની વાતો કરતાં. એક વાર એક પારધીએ આ હંસને જોયો. એને એ હંસ ખૂબ ગમી ગયો. કેવો રૂપાળો હંસ છે ! એનું મન લલચાઈ ગયું. એ જાળ લઈને રોજ છાનોમાનો એ સરોવર પાસે ફરવા લાગ્યો. એક વાર હંસ અને માછલી વાતો કરી રહ્યાં હતાં. ત્યારે સિપાહીઓની નજર ચૂકવીને એણે હંસને જાળમાં ફસાવી પકડી લીધો. આથી હંસ ગભરાઈ ગયો, માછલી પણ ગભરાઈ ગઈ. તેણે પારધીને કહ્યું, 'ભાઈ ! આ હંસને શું કામ પકડ્યો છે ?' 'પૈસા માટે. આ રૂપાળા હંસને વેચીશ તો મને બહુ પૈસા મળશે.' 'ભાઈ ! તું હંસને છોડી દે. હું તને એક મોતી આપું છું. તેના પૈસા હંસ કરતાં વધારે ઊપજશે.' 'સારું, હું હમણાં જ આવી.' કહી માછલી પાણીમાં સરકી ગઈ. અને તરત જ પાછી ઉપર આવી. એણે પારધીના હાથમાં એક મોતી મૂક્યું. પારધીએ હંસને છોડી મૂક્યો. હંસ પાંખો ફફડાવતો વૃક્ષ પર જઈને બેસી ગયો. એ હજી ધ્રૂજી રહ્યો હતો. પારધી ગયો. પછી એ ધીરેથી નીચે ઊતર્યો અને પોતાને બચાવવા બદલ માછલીનો આભાર માન્યો. પહેલી વાર હંસને લાગ્યું, 'સારો અને સાચો મિત્ર મુશ્કેલીમાં કામ આવે છે.' આ તરફ પારધી નગરમાં એક ઝવેરીને ત્યાં ગયો. અને પેલું મોતી બતાવ્યું. ગુલાબી ઝાંયનું આવડું મોટું ચોખ્ખું મોતી જોઈને ઝવેરી અજાયબ થઈ ગયો. તેણે પારધીને સો સોનામહોર આપી. અને કહ્યું, 'જો તું આમાનું બીજું મોતી લઈ આવશે તો હું તને પાંચસો સોનામહોર આપીશ.' પારધી સો સોનામહોર જોઈને અજાયબ થઈ ગયો. અને પાંચસો સોનામહોરની વાત સાંભળીને તો એને ચક્કર જ આવી ગયા. બીજે દિવસે એ ઊપડ્યો ફરી જાળ લઈને સરોવર કિનારે. લપાતો છુપાતો એ હંસને ફસાવવાનો લાગ જોયા કરતો હતો. હંસ સરોવર કિનારે બેઠેલો હોવો જોઈએ. અને તે સમયે કોઈ માણસ કે ચોકિયાત હોવો ન જોઈએ. માંડ માંડ એક દિવસ એવો મોકો મળી ગયો. એણે જાળ નાખી અને હંસ ફરી સપડાયો. ફરી માછલીએ કહ્યું, 'તું હંસને છોડી મૂક.' પારધીએ કહ્યું, 'તેં પહેલાં આપેલું એવું મોતી મને આપ. તો જ હું આ હંસને છોડીશ.' માછલી કહે, 'ભાઈ ! તને પહેલાં કેવું મોતી આપેલું તે મને કેવી રીતે યાદ હોય ! મારી પાસે તો જાતજાતનાં મોતી છે.' પારધી કહે, 'તું મારી રાહ જોજે. હું હમણાં જ આવ્યો.' એ તો દોડતો ઝવેરી પાસે આવ્યો અને કહે, 'શેઠજી ! પેલું મોતી આપો હું એની જોડનું બીજું મોતી લઈ આવું.' 'પણ ભાઈ ! હું તારો વિશ્વાસ કેવી રીતે કરું ? તું મને સો સોનામહોર પાછી આપી દે. હું તને મોતી આપી દઈશ.' 'સારું' કહીને પારધી ઘરે દોડ્યો. સો સોનામહોર લાવીને ઝવેરીના હાથમાં મૂકી. ઝવેરીએ પેલું મોતી પાછું આપ્યું અને કહ્યું, 'બન્ને મોતી લઈને જલદી પાછો આવજે.' 'હા શેઠજી !' કરીને એ દોડ્યો સરોવરની પાળે. પછી માછલીને કહ્યું, 'લે, આ મોતી ! આવું બીજું મોતી જોઈએ છે. વળી આ મોતી પાછું લાવવાનું ભૂલતી નહિ. બન્ને મોતી એક સરખાં રંગના અને કદનાં જોઈએ.' 'જો, ભાઈ ! તું આ હંસને પહેલાં છોડી દે. પછી જ હું મોતીની જોડ લઈ આવું.' લોભમાં ભાન ભૂલેલા પારધીએ હંસને છોડી દીધો. હંસ પાંખો ફફડાવતો દૂર દૂર ઊડી ગયો. અને માછલી મોતી લઈને ગઈ તે ગઈ. ફરી દેખાઈ જ નહિ. ત્યાં જ એક સિપાહી આવ્યો અને કહેવા લાગ્યો, 'તું ક્યારનો અહીં બેઠો બેઠો શું કરે છે ? મને તારી દાનત સારી લાગતી નથી. ચાલ, તો ઊભો થા.' ત્યાં જ સિપાહીની નજર તેણે સંતાડેલી જાળ પર પડી. એની આંખો ચમકી ઊઠી. એ સમજી ગયો કે આ પારધી છાનોમાનો જાળ લઈને અહીં પંખીઓને પકડવા આવ્યો લાગે છે.' સિપાહીએ બીજા સિપાહીઓને બોલાવ્યા અને પારધીને પકડી લીધો. પારધીને બહુ અફસોસ થયો. જો એણે સો સોનામહોર લઈને સંતોષ માન્યો હોત તો આજે પકડાયો ન હોત. બીજે દિવસે એને ન્યાયલયમાં રજૂ કરવામાં આવ્યો. ત્યાં એને ચાર વર્ષની જેલ થઈ. જેલની ચક્કી પીસતાં પીસતાં પણ એને પેલું મોતી યાદ આવી રહ્યું. હંસ દૂર ઝાડ પર બેસીને એનો તાલ જોતું હતું. સિપાહી એને પકડી ગયા. એટલે હંસે હાશ કરી અને સીધો તે સરોવરની પાળે આવ્યો. તેનો ફફડાટ સાંભળીને માછલી પણ સપાટી પર આવી અને બોલી, 'હંસ ! હવે તું આભાર ન માનતો. તને મદદ કરવી એ મારો મિત્રધર્મ છે.' બન્ને હસી પડ્યાં. બોધ - હે કુમારો ! સારા અને સાચા મિત્રો જ દુઃખમાં મદદ કરે છે. અને લોભી જ વધુ ગુમાવે છે.' માટે આપણી મિત્રતા પણ માછલી અને હંસ જેવી જ હોવી જોઈએ. 👏👏👏

  • અકબર બીરબલ ની વાર્તા એક સમયે અકબર મહારાજે તેમની સભામાં એક વિચિત્ર પ્રશ્ન પૂછ્યો, જેનાથી સમગ્ર સભાના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. જ્યારે તેઓ બધા જવાબ શોધવાની કોશિશ કરી રહ્યા હતા, ત્યારે બીરબલ અંદર આવ્યો અને પૂછ્યું કે શું વાત છે.   તેણે તેણીને પ્રશ્ન પુનરાવર્તિત કર્યો. પ્રશ્ન હતો કે "શહેરમાં કેટલા કાગડા છે?"   બીરબલ તરત હસ્યો અને અકબર પાસે ગયો. તેણે જવાબ જાહેર કર્યો; તેમનો જવાબ હતો કે શહેરમાં એકવીસ હજાર પાંચસો ત્રેવીસ કાગડા છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેને જવાબ કેવી રીતે ખબર છે, તો બીરબલે જવાબ આપ્યો, "તમારા માણસોને કાગડાઓની સંખ્યા ગણવા કહો.   જો વધુ હોય, તો નજીકના શહેરોમાંથી કાગડાના સંબંધીઓ તેમની પાસે આવતા હશે. જો ઓછા હોય તો આપણા શહેરના કાગડાઓ શહેરની બહાર રહેતા તેમના સગા-સંબંધીઓ પાસે ગયા હશે.”   આ જવાબ સાંભળીને રાજાને ખૂબ સંતોષ થયો. આ જવાબથી ખુશ થઈને અકબરે બીરબલને રૂબી અને મોતીની સાંકળ આપી. તે જ સમયે, તેણે બીરબલની બુદ્ધિમત્તાની ખૂબ પ્રશંસા કરી.   બોધ - આ વાર્તામાંથી આપણે જે શીખીએ છીએ તે એ છે કે તમારા જવાબમાં સાચો ખુલાસો હોવો એ સાચો જવાબ હોવા જેટલું જ મહત્વપૂર્ણ છે. 👏👏👏

  • પ્રપંચી કાગડો એક નગરની નજીક રળિયામણું ઉદ્યાન હતું. તેમાં દરેક જાતનાં પંખીઓ અને નિર્દોષ હરણ-સસલાં જેવાં પશુઓ રહેતાં હતાં. તેમાં એક સફેદ દૂધ જેવી પાંખવાળો હંસ રહેતો હતો. સ્વભાવે પણ વિવેકી, નરમ અને પરગજુ. બધાં સાથે મીઠું મીઠું બોલતો. બધાંને મદદ કરતો. આથી આખા ઉદ્યાનમાં બધાં એને ખૂબ માન આપતાં. જાણે અજાણ્યે એ ઉદ્યાનનો રાજા જેવો બની ગયો હતો. છતાં એનામાં રતિભાર અભિમાન ન હતું. એ જ ઉદ્યાનમાં એક કાગડો રહેતો હતો. રંગે કાળો એટલો જ મનનો કાળો. સ્વભાવે ઉધ્ધત, દ્વેષીલો અને લુચ્ચો. બધાંને કોઈ ને કોઈ વાતે હેરાન કરતો. બધાં પંખી ઘડીક જંપી ગયાં હોય તો કા... કા... કા... કા... કરીને સૂવા ન દેતો. આખું ઉદ્યાન પોતાના કર્કશ અવાજથી ગજાવી દેતો. એની દુષ્ટતાનો કોઈ પાર ન હતો. એને આ હંસ દીઠો ગમતો ન હતો. ​ઘણી વાર હંસને પણ પજવતો પણ હંસ એની કોઈ વાત મનમાં લાવતો નહિ. જો કોઈ પક્ષી જોઈ જાય કે આ દુષ્ટ કાગડો હંસને હેરાન કરે છે, તો એ કાગડાને બરાબર મેથીપાક આપતાં. આથી કાગડાને હંસ પર ખૂબ જ વેર. એનાથી એનું સારાપણું જરાય ખમાતું ન હતું. પણ કરે શું ? હવે એક વાર એવું બન્યું કે, એક વટેમાર્ગુ આ ઉદ્યાનમાં પ્રવેશ્યો. દૂર દૂરથી એ ચાલીને આવ્યો હતો. થાક્થી એના સામ્ધેસાંધા દુઃખતા હતા. પગ તો લથડિયા ખાતા હતા. એને આ ઉદ્યાન અને તેની ઠંડક બહુ ગમી ગઈ. એ એક વૃક્ષ નીચે જ લાંબો થઈને સૂઈ ગયો. સૂતાવેંત જ એને નિદ્રા આવી ગઈ. એને નિદ્રાધીન થયાને ઘણો સમય વીતી ગયો. એટલે સૂર્યનો પ્રકાશ એના મોં પર પડવા માંડ્યો. હંસે આ જોયું. એને થયું, બિચારો થાકેલો પાકેલો સૂતો છે. આ સૂર્યના તાપથી જાગી જશે. લાવ એના પર છાયા કરું. એણે તો પાંખો પ્રસારીને વટેમાર્ગુના મોં પર છાયા કરી. હંસની આ ગતિવિધિ પેલો દુષ્ટ કાગડો નિહાળી રહ્યો હતો. એને થયું, આજે તો હંસ સાથે બરાબર વેર લઉં. ​એ તો મંડી પડ્યો કા... કા... કરવા. વટેમાર્ગુ પાસે એણે એટલો બધો અવાજ કર્યો કે, તે જાગી ગયો. કાગડાએ જોયું કે, તે જાગી રહ્યો છે. એટલે એ તરત જ વૃક્ષ પર જઈને બેઠો જેની નીચે વટેમાર્ગુ સૂતો હતો. વટેમાર્ગુ સૂતેલો તેના માથા પરની ડાળી પર જ બરાબર કાગડો બેઠો. ચરક્યો અને ઊડી ગયો. કાગડાની ચરક સીધી વટેમાર્ગુના મોં પર પડી. એ એકદમ ગુસ્સે થઈ ગયો અને ઊંચે જોયું તો હંસ પાંખ પ્રસારીને બેઠો હતો. તેને થયું, આ હંસ જ મારા પર ચરક્યો લાગે છે. એણે તો પથ્થર લીધો અને તાકીને માર્યો હંસ પર. હંસના મર્મસ્થાન પર પથ્થર વાગતાં જ તે કળ ખાઈને નીચે પડ્યો અને તરફડીને મરણ પામ્યો. વટેમાર્ગુ તો ચાલતો થયો. પંખીઓએ આ જોયું તો તેઓને બહુ જ દુઃખ થયું. તેઓને કાગડા પર બહુ ગુસ્સો આવ્યો. તેમણે બધાંએ ભેગાં મળી કાગડાને ઘેરી લીધો અને ચાંચો મારી મારીને પીંખી નાખ્યો... મારી નાખ્યો. બોધ - બાળમિત્રો યાદ રાખો દુષ્ટોથી ચેતીને રહેવું. એ લોકો લાગ મળે આપણને નુકસાન કરે જ.'

  • આજની બાળવાર્તા માણસનો સાથી પહેલાં ઘોડા જંગલમાં જ રહેતા હતા. એક વાર એક ઘોડાને વિચાર આવ્યો કે, કોઈ શક્તિશાળી મિત્ર બનાવવો જોઈએ. જેથી તે મુશ્કેલીના સમયમાં આપણને મદદ કરે. અને તેની સાથે સમય પણ સરસ પસાર થઈ જાય. અને આ વિચાર એણે તરત જ અમલમાં મૂક્યો. વધુ શક્તિશાળી જંગલમાં કોણ ? એની ઘોડાને કંઈ ખબર ન હતી. આથી તેણે ત્યાંથી પસાર થતાં વરુને ઊભું રાખ્યું, અને કહ્યું, 'વરુભાઈ ! તમે મારા દોસ્ત બની જાઓ, એક સે ભલા દો.' 'સારું.' વરુએ કહ્યું. અને બન્ને દોસ્ત બની ગયાં. બન્ને સાથે ફરે. જાતજાતની વાતો કરે અને લહેરમાં રહે. એક દિવસ ઘોડાને શિકારી પ્રાણીની ગંધ આવી. તે તો જોરમાં ઉછળ્યો. અને હણહણવા મંડ્યો. ​વરુએ કહ્યું, 'ઘોડાભાઈ ! તમે ચૂપ રહો. રીંછ-બીંછ હશે તો આપણી ચટણી બનાવીને ખાઈ જશે.' બન્ને ભાગ્યાં. ભાગદોડમાં બન્ને છૂટાં પડી ગયાં. ઘોડાએ વિચાર્યું, આ વરુ રીંછથી બીએ છે. એનાથી રીંછ વધુ શક્તિશાળી હશે ત્યારે ને ! આપણે તો વધુ શક્તિશાળી હોય તેની સાથે જ દોસ્તી રાખવી. ઘોડાએ વરુની દોસ્તી તોડી નાખી. એને એક રીંછ મળ્યું. તેની સાથે દોસ્તી બાંધી. બન્ને સાથે રહેવા લાગ્યાં. સાથે ફરવા લાગ્યાં. એક દિવસ રાત્રે અચાનક ઘોડાને શિકારી પ્રાણીની ગંધ આવી. તે તો હણહણાટી પર હણહણાટી કરવા લાગ્યો. રીંછ ગભરાયું. તેણે કહ્યું, 'ઘોડાભાઈ ! ચૂપ રહો. નજીકમાં સિંહ-બિંહ હશે તો તમારો અવાજ સાંભળી અહીં આવી પડશે અને આપણી કચુંબર કરી નાખશે.' ​ત્યાં જ સિંહની ત્રાડ સંભળાઈ. બન્ને જીવ લઈને નાઠાં. રીંછ ધીરું અને ઘોડો તેજ. એ તો દોડતો દોડતો ક્યાંનો ક્યાં પહોંચી ગયો. ઘોડાને વળી વિચાર આવ્યો કે, આ રીંછ સિંહથી બીએ છે. માટે એના કરતાં સિંહ વધુ શક્તિશાળી. આપણે તો બસ શક્તિશાળી હોય તેની સાથે જ દોસ્તી રાખવી. ઘોડાએ રીંછની દોસ્તી તોડી નાખી અને પહોંચી ગયો સિંહ પાસે. સિંહને કહ્યું, 'હે સિંહ ! તું મારી સાથે દોસ્તી કર.' સિંહ એકલો જ હતો. એને થયું, ચાલો બે જણા હશે તો સમય જલદી વીતશે. એટલે બન્ને દોસ્ત બન્યા. બન્ને પોતાના અનુભવોની વાત કરે અને ફરે. એક વાર ફરી ઘોડાને કંઈ શિકારી પ્રાણીની ગંધ આવી. એ તો બે પગે ઊભો થઈ હણહણવા લાગ્યો. સિંહે કહ્યું, ચૂપ થઈ જા. આટલા તેટલામાં કોઈ માણસ હશે તો આપણા બન્નેનું આવી બનશે.' ​ઘોડો વિચારમાં પડી ગયો. આ સિંહ તો માણસથી બીએ છે. માટે માણસ જ સૌથી શક્તિશાળી છે. હું માણસ સાથે દોસ્તી બાંધીશ. બીજે દિવસે ઘોડો સિંહની દોસ્તી તોડીને ચાલ્યો ગયો. ફરતો ફરતો જંગલના છેડે પહોંચ્યો. ત્યાંથી ગામ શરૂ થતું હતું. ઘોડો આગળ વધ્યો. એણે જોયું તો ત્યાં માણસોની વસ્તી હતી. અને એણે એક માણસ સાથે દોસ્તી બાંધી. બોધ - હે કુમારો ! બસ ! ત્યારથી ઘોડો માણસ સાથે જ દોસ્તી રાખતો આવ્યો છે.' માટે આપણે પણ હંમેશા શ્રેષ્ઠ ની જ મિત્રતા કરવી જોઈએ.

  • રાજાને પણ યુવાન મંત્રીની વાત ગમી ગઈ. તેણે ઘાયલ કાગડાને કહ્યું, 'શરણે આવેલાની રક્ષા કરવી અમારો ધર્મ ​છે. અમે તમારી રક્ષા કરીશું પરંતુ તેના બદલામાં તારે તારા સમાજના, તારા રાજાના અને તારા રાજ્યના ભેદ જાણી લાવવા પડશે. તું આ કામ કરી શકશે ?' 'મહારાજ ! હું જરૂર તમારું કામ કરીશ. મને મારા સમાજ અને રાજા પર બહુ ગુસ્સો આવ્યો છે. હું તેઓને ખતમ કરીને જ જંપીશ. જુઓને, તેમણે મને કેવો માર માર્યો છે ! તેમણે મારી બહુ બેઇજ્જતી કરી છે. હું તમને બધા જ ભેદ કહીશ. મને તમારો સેવક સમજો.' ઘુવડનો રાજા આ સાંભળી ખુશ થઈ ગયો. અને કાગડાને જીવતદાન આપ્યું. આમ વૃદ્ધ કાગડાની યુક્તિ સફળ થઈ. તે દુશ્મનના પક્ષમાં ભળી ગયો. પરંતુ વૃદ્ધ મંત્રીને એ ન ગમ્યું. એને કાગડા પર જરાયે વિશ્વાસ ન બેઠો. એ પોતાના પરિવાર, સેવકો અને મિત્રોને લઈને દૂર દૂર ભાગી ગયું. તેના જવાથી કાગડો ખુશ થઈ ગયો. 'ચાલો, બલા ટળી. એ વધારે હોંશિયાર હતો. અહીં રહ્યો હોત તો મારી યોજનાને ઊંધી વાળી દેત. હવે જે છે ​તેમાં કોઈ એવું બુદ્ધિમાન નથી કે મારી ચાલને પારખે. જે રાજા પાસે બુદ્ધિમાન મંત્રી નથી હોતા તેનો જલદી વિનાશ થાય છે.' કાગડો પોતાનો માળો બનાવવાને બહાને ગુફાની આજુબાજુ સૂકી લાકડીઓ લાવવા લાગ્યો. બે-ત્રણ દિવસ રહીને એણે ઘૂવડના રાજાને માહિતી આપી કે કાગડાઓની સંખ્યા કેટલી છે ? તેઓ કયા વૃક્ષ પર રહે છે ? ઘૂવડોએ કહ્યું, 'તો તો આપણી સંખ્યા તેમનાથી વધુ છે. માટે હવે હુમલો કરવો જોઈએ.' કાગડાએ કહ્યું, 'જરા ધીરજ રાખો. હજી ઘણી માહિતી મારે મેળવવાની છે. અને તેમને મારવાનો ઉપાય પણ શોધવાનો છે.' ઘૂવડોને હવે કાગડા પર પૂરો વિશ્વાસ બેસી ગયો કે આ કાગડો આપણો જ થઈ ગયો છે. એટલે તેની ગતિવિધિ પર કોઈએ ધ્યાન ન આપ્યું. કાગડો બનતી ઝડપે સૂકી લાકડીઓ ભેગો કરતો રહ્યો. ​'હે કુમારો ! બુદ્ધિમાન મંત્રીઓ શક્ત્રુઓનો વિનાશ કરે છે. અને રાજ્યને આબાદ રાખે છે. વળી શત્રુપક્ષના માનવીનો કદી વિશ્વાસ ન કરવો.' અને એક દિવસ ઊડતો ઊડતો એ પોતાના રાજા પાસે પહાડ પર પહોંચ્યો. 'મહારાજ ! આપણી તરકીબ સફળ થઈ છે. મેં ઘૂવડોનો નાશ કરવાની યોજના તૈયાર કરી નાખી છે. તમે જલદી મારી સાથે ચાલો.' રાજા પોતાના મંત્રીઓ સાથે એ વૃદ્ધ કાગડા સાથે ઘૂવડોની ગુફા પાસે આવ્યો. કાગડાએ પોતાની ચાલ સમજાવીને સૂકી લાકડીઓ બતાવી. પછી બધા વૃદ્ધ કાગડાના કહેવાથી અગ્નિ શોધવા નીકળ્યા. રાજાને એક સળગતી લાકડી દેખાઈ. તેણે તે ઉપાડી અને ઘુવડની ગુફા આગળ ફેંકી. ધીરે ધીરે સૂકી લાકડીઓ સળગવા લાગી. અને એ આગ ગુફામાં પણ પ્રસરી ગઈ. ધુમાડાથી ગુંગળાતાં ઘૂવડો અને તેનો રાજા બખોલોમાંથી બહાર નીકળ્યાં તે સાથે જ બળીને ભડથું થઈ ગયાં. ​મંત્રીઓ બીજા કાગડાઓને પહાડ પરથી બોલાવી લાવ્યાં અને ફરી કાગડાઓ પોતાના અસલ નિવાસસ્થાન પર શાંતિથી રહેવા લાગ્યાં. કાગરાજે પેલા વૃદ્ધ કાગડાને મુખ્ય મંત્રી બનાવી અનેક ભેટો આપી. 👏👏👏

  • મોર કહે, 'જે રાજા પ્રજાનું રક્ષણ કરતો નથી તે યમરાજ સમાન છે. અને રાજાના રક્ષણ વિનાની પ્રજા સમુદ્રમાં સુકાન વગરની નાવ જેવી બની જાય છે. અને છેલ્લે ડૂબી જાય છે. માટે આપણે એવો રાજા પસંદ કરવો જોઈએ, જે આપણા સમાજમાં જ રહેતો હોય, બળવાન હોય, આપણાં સુખદુઃખથી માહિતગાર રહીને આપણી રક્ષા કરતો હોય.' બધાં પક્ષીઓ બોલી ઊઠ્યાં : 'બરાબર ! બરાબર !' હવે નવો રાજા બનાવવો કોને ? ત્યારે ઘુવડે કહ્યું, 'હું રાજા બનીશ. અને તમારી રક્ષા કરીશ.' પક્ષીઓએ તે વાતમાં સંમતિ આપી. અને આમ ઘુવડને પક્ષીઓનો રાજા બનાવવાની તૈયારી થવા માંડી. ત્યાં જ કાગડો આવ્યો. તે પૂછવા લાગ્યો : ​'આટલાં બધાં પક્ષીઓ કેમ ભેગાં થયાં છો ? આજે શું છે ? કોઈ ઉત્સવ છે ?' ત્યારે ચકલીએ કહ્યું, 'કાગડાભાઈ ! ઘુવડને રાજા બનાવવાનો બધાએ નિર્ણય કર્યો છે.' 'કેમ ?' કાગડાને આશ્ચર્ય થયું. કાબરે માંડીને સભામાં થયેલી સર્વ વાત કાગડાને કરી. 'અરે ભાઈઓ !' કાગડાએ બધાને કહેવા માંડ્યું, 'આ તમે એકદમ ખોટું કરો છો ! આ ભયાનક દેખાવવાળું પક્ષી આપણો રાજા બને એમાં આપણી ઇજ્જત શું ? વળી તે દિવસે અંધ બની જય છે. તો તે આપણી રક્ષા શું કરવાનું ? આપણે ખુલ્લામાં ફરનારા છીએ જ્યારે આ તો સદા સંતાઈને રહેવાવાળું પક્ષી છે ! આપણા બોલ અને સહવાસ મનુષ્યોને ગમે છે. જ્યારે આનું ડાચું જોવાનુંયે મનુષ્યો પસંદ કરતાં નથી. એના તો અવાજથી બધાં થથરી જાય છે. એ તો તદ્દન અપશુકનિયાળ છે. આને રાજા બનાવવો એ તો મહા મૂર્ખાઈનું કાર્ય છે.' ​બધાં પક્ષીઓ આ નિવેદનથી થંભી ગયાં. બધાંને લાગ્યું, કાગડાની વાત સોળ આના સાચી છે. આના તો બધા જ ક્રમ આપણાથી ઊલટા છે. ઘુવડ તો રાજા બનવા માટે તદ્દન અયોગ્ય છે. બધાંએ ઘુવડને રાજા બનાવવાનું તત્કાળ માંડી વાળ્યું અને ગરુડને જ રાજા માની બધા પંખીઓ ઊડી ગયાં. ઘુવડ કાગડા પર અત્યંત ગુસ્સે થઈ ગયું. તેણે કહ્યું, 'આજે તેં મારું બહુ જ બૂરું કર્યું છે. અને મને બેઇજ્જત કર્યું છે. તલવારનો ઘા રુઝાઈ જાય પણ કડવા બોલનો મન પર પડેલો ઘા કદી રુઝાતો નથી. તેં મારા મન પર ઘા કર્યો છે. આજથી તું મારો મહાશત્રુ છે. મારો સમાજ તારા સમાજને જ્યાં જોશે ત્યાં મારશે.' કહીને ઘુવડ ચાલ્યું ગયું. 'બસ ! ત્યારથી આપણી અને ઘુવડોની શત્રુતા ચાલતી આવે છે.' 'મહારાજ ! આપના પરદાદાની વાત સાચી હતી. તેમણે સભામાં સત્ય બોલીને પંખીસમાજ પર મોટો ઉપકાર કર્યો છે. ક્યાં સર્વગુણસંપન્ન, શક્તિશાળી અને રૂપવાન વિષ્ણુભક્ત ગરુડ અને ક્યાં નિશાચર, દુષ્ટબુદ્ધિ, કદરૂપું અને ​અપશુકનિયાળ ઘુવડ ! પંખીઓમાં આપણી જાત વધુ ચાલાક ગણાય છે. આજે આપણી કસોટીનો સમય આવી ગયો છે. આપણે ઘુવડોનો નાશ કરવો જોઈએ. તે માટે હું મારો પ્રાણ પણ આપવા તૈયાર છું.' 'આપણે શું કરી શકીએ ?' 'હું ગુપ્તચર બનીને ઘુવડોની વચ્ચે જઈશ અને તેઓનો નાશ કરીશ.' 'પરંતુ તમે જશો કેવી રીતે ?' 'તેનો એક ઉપાય છે. સંધ્યાકાળે તમે મારી સાથે ખોટો ઝઘડો કરો અને ઘાયલ કરીને ફેંકી દો. હું કોઈ પણ ઉપાયે ઘુવડોના પક્ષમાં ભળી જઈશ. અને તેઓના ભેદ જાણી, તેઓનું રહેઠાણ શોધી, તેઓનો નાશ કરીશ. તમે મને શત્રુ ઘોષિત કરીને આ વૃક્ષ છોડી પહાડો પર ચાલ્યા જાઓ.' 'સારું, તમે કહો છો તેમ જ થશે.' કાગરાજે સંમતિ આપી. ધીરે ધીરે સાંજ પડી. પક્ષીઓ માળામાં જવા લાગ્યાં. અને ચામાચિડિયાં, ઘુવડો વગેરે નિશાચરો જાગવા લાગ્યાં. ​ત્યારે કાગડાઓએ પેલા વૃદ્ધ કાગડા સાથે ઝઘડવાનો પ્રારંભ કર્યો. ઝઘડો વધતાં બધાંએ તેને ખાલી ખાલી મારવો શરૂ કર્યો અને તેને ફેંકીને દૂર દૂર પહાડ પર ચાલ્યા ગયા. રાત્રિ પડી. ઘુવડો ફરવા નીકળ્યાં ત્યાં જ તેમને ઘાયલ પડેલો કાગડો દેખાયો. તેઓ તેને મારી નાખવા ભેગા થયાં. ત્યારે કાગડો બોલ્યો, 'ભાઈઓ ! મારે તમારા રાજાને મળવું છે. પછી ભલે તમે મને મારી નાખો. મારી આટલી વિનંતી માન્ય રાખો.' ઘુવડોને થયું, આ અધમૂઓ કાગડો ભલે રાજાને મળી લેતો. એ આપણું કંઈ બગાડી શકવાનો નથી. અડધો મરેલા જેવો જ દેખાય છે. આપણે પૂરો મારી નાખીશું.' ઘુવડો કાગડાને પોતાના રાજા પસે લઈ ગયા. ઘુવડના રાજાએ પૂછ્યું, 'આ દુશ્મનને અહીં કેમ લાવ્યા છો ?' 'મહારાજ ! એ આપને મળવા માગે છે.' એક ઘુવડે કહ્યું. ​'કહે, તું મને કેમ મળવા માગે છે ?' રાજાએ કાગડાને પૂછ્યું. 'મહારાજ ! અમારો રાજા બહુ લુચ્ચો અને સ્વાર્થી છે. મેં જરાક તમારાં વખાણ કર્યાં ત્યાં તો મને મરણતોલ માર મારી ફેંકી દીધો. હવે તો હું તમારા શરણે છું. મને મારવો કે જિવાડવો એ તમારે જોવાનું છે.' રાજાએ મંત્રીઓને પૂછ્યું, 'હે મંત્રીઓ ! મારે શું કરવું જોઈએ ?' એક વૃદ્ધ મંત્રીએ કહ્યું, 'દુશ્મન એટલે દુશ્મન. એને મારી નાખવો જ ઉચિત છે.' પરંતુ બીજા જુવાન મંત્રીએ કહ્યું, 'હે રાજન ! આપણા હાથમાં અનાયાસે સોનેરી મોકો આવ્યો છે. શત્રુમાં ફૂટ પડે એ આપણા લાભમાં ઊતરે છે. આને આપણે ગુપ્તચર બનાવીએ. એ આપણા દુશ્મનોનો ભેદ જાણીને આપણને કહેશે. એટલે આપણે કાગડાઓને મારી નાખી તેમનું નામનિશાન આ પૃથ્વી પરથી મિટાવી દઈશું.'

  • આજની બાળવાર્તા યુદ્ધનું મૂળ એક શહેરની બહાર બહુ વિશાળ વડનું ઝાડ હતું. તેની ડાળીઓ ક્યાંને ક્યાં સુધી ફેલાયેલી હતી. તેના પર પુષ્કળ કાગડાઓ રહેતાં હતા. એમાં છેક ઉપર કાગડાઓનો એક રાજા રહેતો હતો. તેની નજીક ગુફાઓમાં ઘુવડો અને એમનો રાજા રહેતો હતો. બન્ને પક્ષીની જાતનાં હતાં પણ બન્ને પ્રજા વચ્ચે સહેજ પણ બનતર ન હતું. તેઓ એકબીજાને જુએ કે મારી જ નાખે. રાત્રે ઘુવડો લાગ મળતાં જ કાગડાનાં બચ્ચાં અને ઈંડાં ખાઈ જતાં. એમાંયે ઘુવડના રાજાએ તો પોતાની પ્રજાને આદેશ આપેલો કે, જો કોઈ કાગડો નજરે ચઢે તો તરત જ મારી નાખવો. રાત્રે ઘુવડોને કાગડા દેખાતાં એટલે ઘુવડો કાગડાને મારી નાખતાં. તેમનાં ઈંડાં અને બચ્ચાં ખાઈ જતાં. પણ બખોલોમાં સંતાયેલા ઘુવડો કાગડાઓને દેખાતાં નહિ. એટલે એક ઘુવડ કાગડાઓના દાવમાં આવતું નહિ. એક દિવસ કાગડાના રાજાએ પોતાના મંત્રીઓને બોલાવ્યા અને પૂછ્યું, 'આ ઘુવડો રાત્રે એકલદોકલ કાગડાને મારી ​નાખે છે. આથી આપણી જાતિને બહુ નુકસાન થઈ રહ્યું છે. આ સિલસિલો ચાલુ રહ્યો તો એક દિવસ આપણી સમસ્ત જાતિનો નાશ થઈ જશે. આપણે તેઓને શોધી શકતા નથી. તેઓ ક્યાં રહે છે તેની આપણને જાણ નથી. એટલે એ લોકોને આપણા તરફથી કોઈ નુકસાન થતું નથી. એટલે હવે આપણે આપણી જાતિના ભલા માટે શું પગલાં લેવાં જોઈએ તે મને કહો.' પહેલો મંત્રી કહે, 'જો શત્રુ બળવાન હોય તો લડાઈ ન કરવી જોઈએ. સંધિ કરી લેવી જ હિતાવહ છે. કારણ કે પ્રાણ બચી ગયાં હોય તો બધું જ થઈ શકે છે. ગુરુ બૃહસ્પતિનું કહેવું છે કે, સામ, દામ અને ભેદથી શત્રુને હરાવવા કોશિશ કરવી. આ ત્રણ વાત નિષ્ફળ જાય ત્યારે જ યુદ્ધરૂપી દંડ કરવો. અને વિજયની આશા ન હોય તો સંધિ કરવી સારી.' પછી રાજાએ બીજા મંત્રીને પોતાનો અભિપ્રાય રજુ કરવા કહ્યું. ત્યારે તેણે કહ્યું, 'હે રાજન્! સંધિ ન કરવી જોઈએ. શત્રુ ઝૂકીને સંધિ કરવા ઈચ્છે તો પણ સંધિ ન જ કરવી. શત્રુ બળવાન હોય તો તેને બળથી નહિ, છળથી મારવો. બુદ્ધિ, હિંમત અને ઉત્સાહ મોટામાં મોટા શત્રુઓને હટાવી દે છે.' ​એ પછી કાગરાજે ત્રીજા મંત્રીને પૂછ્યું, 'મંત્રીવર ! તમે મને શું સલાહ આપો છો ?' ત્રીજો મંત્રી કહે, 'મહારાજ ! આપણે જાણીએ છીએ કે, શત્રુ ઘણો બળવાન અને અનીતિમાન છે. માટે તેની સાથે યુદ્ધ કરવું પણ ઉચિત નથી. તેમ સંધિ કરવી પણ ઉચિત નથી. શત્રુ પર વિજય મેળવવા માટે એ મૂશ્કેલીમાં હોય ત્યારે હુમલો કરવો. અને એના અન્ન-જળના ભંડારનો નાશ કરવો. જેથી તેને જીતી શકાય છે. માટે કારતક કે ચૈત્ર મહિનામાં હુમલો કરવો.' રાજાએ ચોથા મંત્રીને પૂછ્યું, 'તમારો શો અભિપ્રાય છે ?' મહારાજ ! આપણે આપણું નિવાસસ્થાન બદલવું ન જોઈએ. આપણે આપણા સ્થાન પર રહીને જ લડવું જોઈએ. તો અવશ્ય આપણી જીત થશે. બળવાન હાથીને પણ મગર પાણીમાં ખેંચી જાય છે. પણ પાણી બહાર એક કૂતરાથી પણ હારી જાય છે.' છેલ્લે કાગરાજે પાંચમાં મંત્રીને પોતાનો અભિપ્રાય જણાવવા કહ્યું. ​પાંચમા મંત્રીએ કહ્યું, 'આપણે મિત્રોની મદદ માગવી જોઈએ. મિત્રોની સહાય લઈને અધિક બળવાન થવું અને શત્રુને પરાજિત કરવો એ જ બધી રીતે ઠીક ઉપાય લાગે છે.' એ પછી રાજાએ પોતાના રાજ્યમાં વસતા એક સૌથી ઘરડા કાગડાને બોલાવી પૂછ્યું, 'હે વડીલ ! તમે અતિ વૃદ્ધ છો, અતિ અનુભવી છો. પાંચે મંત્રીઓની વાત તમે પણ સાંભળી છે. તો તમે કહો, મારે શું કરવું જોઈએ ?' ઘરડો કાગડો ઝૂકીને રાજાને કહેવા લાગ્યો. 'હે મહારાજ ! પાંચે મંત્રીઓની વાત નીતિશાસ્ત્ર અનુસાર સાચી અને યોગ્ય છે. જેવો સમય હોય તેવી યોજના બનાવવી જોઈએ. વળી રાજન્! શત્રુ બળવાન હોય ત્યારે યુદ્ધ કે સુલેહ કરીને નિશ્ચિંત બનવું ન જોઈએ. શત્રુના મનમાં વિશ્વાસ પેદા કરીને પણ આપણે તેના તરફ અવિશ્વાસુ રહેવું જોઈએ. લોભ-લાલચથી તેને ખતમ જ કરવો જોઈએ.' ​'રાજાએ ગુપ્તચરો દ્વારા આ કામ કરાવવું જોઈએ. સાધારણ પ્રાણી આંખોથી જુએ છે. બ્રાહ્મણ શાસ્ત્રોથી જુએ છે. અને રાજા ગુપ્તચરો દ્વારા જુએ છે. જે રાજા ગુપ્તચરો દ્વારા દુશ્મનોની ગતિવિધિ પર ધ્યાન રાખે છે તે કદી હારતો નથી.' 'વડીલ ! ગુપ્તચરો કેવી રીતે મોકલવા જોઈએ ?' કાગરાજે પૂછ્યું. 'મહારાજ ! પહેલાં એ કહો, ઘુવડો અને આપણી વચ્ચે આટલી ભયંકર શત્રુતા કેમ છે ?' 'એની પાછળ એક ઇતિહાસ છે. એક વાર પક્ષીઓની સભા મળી. હંસ, મોર, કાબર, બગલાં, કબૂતર, ચકલી, કોયલ, બુલબુલ, ઘુવડ, બાજ, પોપટ, લક્કડખોદ, વગેરે સર્વ પક્ષીઓ આ સભામાં આવ્યાં હતાં. મારા પરદાદા ત્યારે ક્યાંક ગયા હતા. એટલે તે આ સભામાં ન હતા. બગલા કહે, 'હે પક્ષીઓ ! આપણા રાજા ગરુડ છે. પરંતુ તે સદા ભગવાન વિષ્ણુના ભક્ત હોવાથી વૈકુંઠમાં જ રહે છે. તેમનો ​બધો સમય પ્રભુની ભક્તિમાં જાય છે. એટલે તેઓ આપણું સહેજે ધ્યાન રાખતા નથી. આપણા સુખદુઃખમાં ભાગ લેતાં નથી કે આપણને કોઈ મુશ્કેલીમાંથી ઉગારતા નથી. આવા રાજાનો અર્થ શો ?'